Sunday, April 25, 2021

   ભગવાન શ્રી  કૃષ્ણ નો  કાલ્પનિક  અંતિમ  સંવાદ   

 

યાદવાસ્થળી  પછી  પારધી  જરા  ના  બાણ  થી  ઘાયલ  થઇ  ને  શ્રી  કૃષ્ણ  પીપળા  ની  નીચે  બેઠા  બેઠા  મૃત્યુ  ની  પ્રતીક્ષા  કરતા  હોય  છે, ત્યારે  પોતાના  ઋણો  માંથી  મુક્ત  કરવા  એમની  પત્ની , પટરાણી  રુક્મિણી, પ્રિય સખી  દ્રૌપદી  એમને  મળવા  આવે  છે , ત્યારે  એમની  વચ્ચે  જે  સંવાદ  થાય  છે    અહીં  રજુ  કરવાની  કોશિશ  કરી  છે -

 

દ્રૌપદી  કૃષ્ણે  ને  કહે  છે-  

હે  પરમ  સખા... મારા  મન  માં  હંમેશા  એક    પ્રશ્ન  ઉદ્ભવતો  રહ્યો  છે  કે  શું  તમે  મને  પ્રેમ  કર્યો  છે  ? શું  મધુસૂદને  મને  મારી  જેમ  ઉત્કૃષ્ટતા  થી  ચાહી  છે  ?”

કૃષ્ણ ઉત્તર  આપે  છે -

"કર્યો  છે ,,, ખુબ    પ્રેમ  કર્યો  છે  તમને  કૃષ્ણા... પરંતુ  મારા  માટે  પ્રેમ  નો  અર્થ  પત્નીત્વ  કે  પતિત્વ  નથી . લગ્ન  મારા  માટે  પ્રેમ  નું  પરિણામ  નથી . મારા  માટે  પ્રેમ    કદીયે  એક  દિશા  માં  વહેતી  બે  કિનારા  વચ્ચે  બંધાયેલી  પાણી  ની  ધારા  નથી . મારે  માટે  પ્રેમ  સમગ્ર  વિશ્વ  માં  પથરાયેલું  , હવા  ની  જેમ  આપણા  શ્વાશ  માં  અનિવાર્યપણે  અવાર -જવર  કરતુ  અને  પ્રાણવાયુ  ની  જેમ  આપણા  અસ્તિત્વ  માટે  નું  અનિવાર્ય  તત્વ  છે . એક  પણ  પળ માટે  પણ  એના  વગર  સજીવ  નું  અસ્તિત્વ  નથી  છતાં  પળે  પળે  શ્વાસ  લેતા  લેતા  એના  અસ્તિત્વ  ની  નોંધ  લેવાની  આવશ્યકતા  પણ  નથી . મારો  પ્રેમ    તમારા  કુશળ  ની  પ્રાથના  છે , તમારા  મંગળ  ની  કામના  છે , તમારા  સ્વમાન  ની  રક્ષા  છે , તમારા  સુખ  નો  પ્રત્યન  પૂર્ણ  કરવાનો  મારો  સનિષ્ઠ   પ્રયાસ  છે . મારા  માટે  તમને  સ્પર્શવું      પ્રેમ  નથી , તમારા  સાથે  જીવવું    પણ  પ્રેમ  નો  પર્યાય  નથી  મારા  માટે . આપણે  એક  છત્ર  નીચે  જીવીએ  તો  પ્રેમ  ? મારા  માટે  પ્રેમ    એક  આકાશ  નીચે  ઉભા  રહી  ને    આકાશ  તરફ  જોઈ  ને  તમારા  સ્મિત  ની  કલ્પના  કરાવી      છે ... હા  સખી , મેં  તમને  રાધા  ને  રુક્મિણી  ની  જેટલો    અનહદ  પ્રેમ  કર્યો  છે  !!"

રુક્મિણી  કૃષ્ણને  પૂછે  છે -

"હે  પ્રભુ ,, તમે  કહ્યું  કે  તમે  રાધા , દ્રૌપદી  અને  મને  એક  સમાન  રીતે , એક    નિષ્ઠા  થી  ને  એક    સરખો  પ્રેમ  કરો  છો ... પરંતુ  શું  વાસ્તવ  માં    સંભવ  છે  કે  કોઈ  એક  વ્યક્તિ  એક  થી  વધુ  વ્યક્તિ   ને  એક    સમાન  પ્રેમ , એક    નિષ્ઠા  થી , એક  સરખો    પ્રેમ  કરી  શકે  ? શું  એના  પ્રેમ  માં  વધ -ઘટ  ના  હોય  શકે  ?"

કૃષ્ણ  ઉત્તર  આપે  છે -

"હે  અર્ધાંગિની , સંભવ  છે ,, માત્ર  મારા  માટે  નહિ  પણ  એક  સામાન્ય  માનવી  માટે  પણ    સહજ  સંભવ  છે .. એનું  જીવંત  દ્રષ્ટાંત  મારી  પ્રિયા  સખી  પાંચાલી  આપની  નજર  સમક્ષ    છે , પાંચાલી  ને  પાંચ પાંડવ  પતિ  છે , ને  પાંચાલી      તમામ  ને  એક    સરખી  નિષ્ઠા  થી , એક    સરખો  પ્રેમ  કર્યો  છે ,ને  એટલો    પ્રેમ  મને  પણ  કર્યો  છે . એમના  પ્રેમ  માં  ક્યાંય  પણ  થોડી  પણ  વધ  ઘટ  વર્તાતી  નથી .

બીજું  દ્રષ્ટાંત  મારી  પ્રેયસી  રાધા  છે , રાધા  વિવાહિત  હોવા  છતાં  એને  મને  એના  પતિ  જેટલો    પ્રેમ  કર્યો , એના  પતિ  જોડે  જે  આવેગ  થી  પ્રણય  કરે  છે      આવેગ  થી  મારી  જોડે  પ્રણય  સંભોગ  કર્યો ..

સંપૂર્ણ  સમર્પણ .. શું  બીજું  કે  ત્રીજું  સંતાન  થવા  થી  પ્રથમ  સંતાન  માટે  ના  મન  પ્રેમ  માં  ફેર પડે  છે  ? શું  બીજા  સંતાન  થી  માં  ને  ચિંતા  થાય  છે  કે  મારા  પેલા સંતાન  ના  પ્રેમ  માં  ભાગ  પડશે  ? ઓછો  થશે  ?"

દ્રૌપદી -

"હે  મધુસુદન , મેં  મારા  પાંચ  પતિઓ  ને  આજ  સુધી  હું  તમને  પ્રેમ  કરું  છું , હું  તમને  વરવા  માંગતી  હતી    વાત  છુપાવી  છે , તો  મેં  મારા  પત્ની  ધર્મ  નો  ભંગ  કર્યો  કહેવાય   ?"

કૃષ્ણ -

"ના, યજ્ઞવેદી , ના .. જે  વાત  નું  બહુ  મહત્વ  ના  હોય , જે  વાત  થી  તમારી  તમારા  પતિ  પ્રત્યે  ની  નિષ્ઠા , ચાહત  માં  કોઈ  ફેર  ના  પાડવાનો  હોય  પણ    વાત  થી  તમારા  પતિ  ને  દુઃખ  પહોંચે  એમ  હોય  તો    વાત  ને  એમના  થી  છુપાવી  રાખવી      સાચો  પત્નીધર્મ  છે .. મારી  પ્રેયસી  રાધા    પણ      કર્યું  ને .. "

દ્રૌપદી-

" હે  પૂર્ણ  પુરુષોત્તમ , મારે  પાંચ  પાંચ  પાંડવ  પતિ  હોવા  છતાં  ઘણી  વાર  મને  કર્ણ  ને  જોઈ  ને  આકર્ષણ  થયું  છે , ઘણી  વાર  મને  વિચાર  આવતો હતો કે  કે  જો  હું    પાંચ  પાંડવો  ને  અપનાવી  શકતી  હોવ  તો    કર્ણ  ને  ના  અપનાવી શકું ?   પણ  એક  જ્યેષ્ઠ પાંડવ    તો હતા... હું  એના  સૌંદર્ય  ને  દેહ  સૌષ્ટવ થી  આકર્ષિત  થાવ  છું .. મારી  કામ  વાસના  પૂર્ણ  કરવા  માટે  મારે  પાંચ  પતિઓ  હોવા  છતાં  ઘણી  વાર  હું  તમારી  જોડે  પ્રણય  સંભોગાનંદ  ની  કલ્પનાઓ  માં  રાચું  છું ,   કલ્પનાઓ  મને  અતિ  આનંદ  આપે  છે  તો  શું  મારુ  ચારિત્ર્ય  ખંડિત  થયું  કહેવાય  ? શું    બધા  થી  મારુ  ચારિત્ર્ય  મલિન  થયું  કહેવાય  ?"

કૃષ્ણ -

" હે  વાસુદેવસ્ય  સખી , માણસ  નું  ચારિત્ર્ય  માનવ  ની  આત્મા  થી  બને  છે , આત્મા  ને  શરીર  બંને  અલગ  અલગ  છે  તો  બંને  ના  મેપ  દંડ  એક  સમાન  કેમ  હોય  શકે  ? બંને  ના  ગુનો  એક  સમાન  કેમ  હોય  શકે  ? આત્મા  અમર  છે  જયારે  દેહ  નાશવંત  છે . ચારિત્ર્ય    આત્મા  નો  ગુણ  છે  અને  કામ  વાસના    મનુષ્ય  દેહ  નો  ગુણ  છે . તો  માનવ  નું  ચારિત્ર્ય  એની  કામ  વાસના  થી  કેવી  રીતે  માપી  શકાય  ? કામ  વાસના    મનુષ્ય  દેહ  ની  એક  પ્રાથમિક  જરૂરિયાત  છે , કલ્પનાઓ  કરવાથી , આકર્ષિત  થવા  થી  ચારિત્ર્ય  ક્યારેય મલિન  થતું    નથી ,,, તમે  તો  માત્ર  કલ્પનાઓ  કરી  છે , મેં  તો  ગોકુલ  માં ગોપીઓ  સાથે  પ્રણય  કર્યો  છે , કેટલીય  વિવાહિત  ગોપીઓ    પતિ  હોવા  છતાં  મારી  જોડે સંભોગાનંદ  કર્યો  છે , તો  શું    બધી  ગોપીઓ , રાધા  અને  મારુ  ચારિત્રય  મલિન  થયું  કહેવાય  ? માણસ  ના  ચારિત્ર્ય  એની  આત્મા  ની  શુદ્ધિ  થી  મપાય  છે ,   એક  માણસ  તરીકે  કેવો  છે , એની  માનવ  ધર્મ  પ્રત્યે  નિષ્ઠા  કેવી  છે  ? કામ  વાસના  અને  માનવ  ના  ચારિત્ર્ય  સાથે  દૂર  દૂર  સુધી  કોઈ  સબંધ  નથી , એક  રૂપાંગના  (ગણિકા / વેશ્યા ) નું  પણ   ચારિત્ર્ય   પવિત્ર હોય  શકે ."

 ******************************

   Thunder Bolt Of Rain Drops   

"રોહન્તૌ પ્રથમ મમોરસિ તવ પ્રાપ્તૌ વિવૃદ્ધિ"

'મારા સ્તન મારી છાતી પર જ ઉગ્યા હતા, પણ એનો સાચો વિકાસ તારી છાતીના મિલનથી થયો છે' 

(અમરૃશતકની નાયિકા નાયકને!)

No comments:

Post a Comment